નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
—————–
વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

—————–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન સ્થળ હેલિપેડ થી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રૉડ શૉ અને સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રોડ શૉના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અત્યારે ગરમીની ઋતુ હોવાથી વડાપ્રધાનશ્રીના રોડ શો અને સભાસ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી-છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, અનિરૂદ્ધભાઈ દવે સહિત પદાધિકારીઓ અને અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • Related Posts

    AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

    માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

    Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

    આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…