ક્રૂડ ઓઈલમાં ભારે ઘટાડો: પેટ્રોલ-ડીઝલ અને LPGમાં રાહતની શક્યતા, જાણો વિગત

પશ્ચિમ એશિયામાં તણાવમાં ઘટાડાના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકા અને Iran વચ્ચે યુદ્ધ વિરામની શક્યતાઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં 6થી 7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પરિસ્થિતિએ વિશ્વભરના બજારોમાં સકારાત્મક અસર પેદા કરી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 7 ટકા ઘટીને પ્રતિ બેરલ 102.51 ડોલર સુધી પહોંચી ગયો છે. સાથે જ ઓપેક દેશો અને UAE દ્વારા ઉત્પાદન વધારવાની જાહેરાત બાદ સપ્લાયમાં સુધારાની અપેક્ષા પણ વધી છે.

ભારત માટે મોટી રાહતની શક્યતા
ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી આ ઘટાડો સીધો ફાયદો આપી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા ઉભી થઈ છે. સાથે જ LPG સિલિન્ડરના ભાવમાં પણ સ્થિરતા અથવા ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડો ખાસ કરીને એવિએશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે પણ રાહતરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે ઈંધણ ખર્ચમાં ઘટાડો થવાથી ઓપરેશનલ ખર્ચ ઘટશે.

સોના-ચાંદીના બજારમાં ફેરફાર
બીજી તરફ, રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ફેરફાર થતા સોના અને ચાંદીના ભાવમાં તેજીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો ફરી સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રસ દાખવી રહ્યા છે, જેના કારણે કિંમતોમાં વધારો થઈ શકે છે.

શેરબજારમાં પણ હકારાત્મક સંકેત
વૈશ્વિક તણાવ ઘટવાના અહેવાલ બાદ શેરબજારમાં પણ સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો શાંતિ પ્રક્રિયા આગળ વધશે તો આગામી દિવસોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

 

 

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…