રાજકોટમાં સાયબર ઠગો બેફામ: RUDAના CEOના નામે અધિકારીને બનાવ્યો નિશાનો

રાજકોટમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોને છોડીને સરકારી કચેરીઓ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ના એક અધિકારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

માહિતી મુજબ, અજાણ્યા નંબર પરથી RUDAના એક જવાબદાર અધિકારીને મેસેજ મોકલવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ RUDAના CEO જી.વી. મિયાણી તરીકે આપી હતી. વિશ્વાસ જમાવવા માટે ઠગે ઉચ્ચ અધિકારીની જેમ ભાષા અને પ્રોફાઇલનો ઉપયોગ કર્યો હતો.

ઠગ દ્વારા “તાત્કાલિક જરૂરિયાત” બતાવીને નાણાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ મોકલવામાં આવી હતી. જોકે, અધિકારીને શંકા જતા તેમણે સાવચેતી રાખી અને નાણાં ટ્રાન્સફર કર્યા નહોતા, જેના કારણે મોટી છેતરપિંડી ટળી ગઈ.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના મેનેજિંગ ડિરેક્ટરની નકલી ઓળખ આપી આવો જ છેતરપિંડીનો પ્રયાસ થયો હતો. હવે તે જ મોડસ ઓપરંડી RUDAમાં પણ અજમાવવામાં આવ્યો છે.

સાયબર ઠગો હવે ઉચ્ચ અધિકારીઓના નામ, ફોટા અને પદનો દુરુપયોગ કરીને તાબાના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. તેઓ ઇમરજન્સીનો બહાનો આપી તાત્કાલિક નાણાં માંગે છે, જેથી સામેનો વ્યક્તિ વિચારવાનો સમય ન લઈ શકે. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • Related Posts

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

    ‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ

    તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…