દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સ્ટેજ પરથી જ આપી કડક ચેતવણી
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દિલજીત દોસાંઝ પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યો હતો, ત્યારે ભીડમાં કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા નજરે પડ્યા. આ જોઈને તેણે તરત જ ગાયન રોકી દીધું અને માઈક પર જ કહ્યું કે, “જેટલા ઝંડા બતાવવા હોય બતાવો, પણ જરૂર પડી તો તમને ઉઠાવીને બહાર ફેંકી દઈશ.” તેના આ સ્પષ્ટ અને કડક નિવેદન પર હાજર ફેન્સે તાળીઓથી સમર્થન આપ્યું.

તજિન્દર બગ્ગાએ કરી પ્રશંસા
ભાજપના નેતા તેજિંદર બગ્ગાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને દિલજીતની હિંમત અને વલણની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે દિલજીતે બતાવી દીધું કે “બેકબોન” કોને કહેવાય.

ફેન્સનો મળ્યો જબરદસ્ત સપોર્ટ
દિલજીતના ફેન્સે પણ તેના આ વલણને સમર્થન આપ્યું છે. ઘણા યુઝર્સે તેને “રિયલ સુપરસ્ટાર” ગણાવ્યો છે. જોકે, કેટલાક લોકોએ વિદેશમાં આવા તત્વો સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાને લઈને તેની સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.

કરિયરમાં સતત ઉછાળો
દિલજીત દોસાંઝ હાલ ગ્લોબલ મ્યુઝિક આઈકન તરીકે ઉભરી રહ્યો છે. તાજેતરમાં તે Border 2માં એરફોર્સ ઓફિસર તરીકે જોવા મળ્યો હતો. હવે તે મે વાપાસ આઉંગામાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

 

 

  • Related Posts

    ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું નિધન, બ્લડ કેન્સર સામે 5 વર્ષ લડ્યા બાદ 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

    ભારતીય ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. આમિર ખાનની લોકપ્રિય ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર પ્રદીપ રાવત છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી બોલીવુડ સહિત સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રદીપ રાવતના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના અભિનય, ખાસ કરીને નકારાત્મક પાત્રોમાં કરેલા યાદગાર કામને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. પ્રદીપ રાવત પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ…

    CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

    આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…