માલીમાં ભયાનક આતંકી હુમલો: સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત, UNએ વ્યક્ત કરી ચિંતા

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક મોટા અને સંગઠિત આતંકી હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક વિસ્તારોમાં એકસાથે હુમલા કર્યા છે. આ હુમલામાં માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે, જે દેશ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

એક સાથે અનેક વિસ્તારોમાં હુમલા
પ્રાથમિક અહેવાલો મુજબ, રાજધાની બમાકો નજીક, સોનાની ખાણવાળા વિસ્તારો અને અન્ય અનેક સ્થળોએ સંકલિત રીતે હુમલા કરવામાં આવ્યા. આ હુમલો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સુનિયોજિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સની મીડિયા સંસ્થા Radio France Internationale (RFI)ના રિપોર્ટ અનુસાર, જેએનઆઈએમના આતંકીઓએ કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો. આ બેઝ પર જ સંરક્ષણ મંત્રીનું નિવાસસ્થાન હતું, જ્યાં તેમને નિશાન બનાવી હત્યા કરવામાં આવી.

લાંબા સમયથી અશાંતિનો માહોલ
માલીમાં વર્ષોથી આતંકી સંગઠનો અને વિદ્રોહી જૂથો સરકાર સામે લડી રહ્યા છે. જેએનઆઈએમ જેવા જૂથો અલ-કાયદા સાથે જોડાયેલા છે, જ્યારે તુઆરેગ વિદ્રોહીઓ ઉત્તર માલીમાં અલગ સત્તાની માંગ કરી રહ્યા છે. હાલમાં દેશમાં સૈન્ય શાસન છે, જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.

આંતરરાષ્ટ્રીય ચિંતા વધી
આ હુમલા બાદ United Nations (UN)એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને પ્રદેશમાં શાંતિ જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાવી છે.

  • Related Posts

    કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

    દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

    અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

    વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…