#ચૂંટણી પ્રપંચ/ હવે ગુજરાતમાં ભોજપુરી-બિહારી ઠુમકાથી જીતાશે ચૂંટણી, એમ ?

ગાંધીનાં ગુજરાતમાં અને ઓછું હોય તેમ મહારાજા સૈયાજીરાવ ગાયકવાડની સંસ્કારીનગરીનાં ગુજરાતની આબરૂનાં ધજાગરા ઉડતા વિડીયો સોસિયલ મિડીયામાં ખૂબ ચાલી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને માટે કહેવાતા મતદાર જાગૃતિ અભિયાનમાં ગુજરાતની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી અસ્મિતાનું સ્થાન બિહરી-ભોજપુરી ઠુમકાએ લઇ લીધું તે શરમજનક તો કહેવાય જ. પરંતુ જ્યારે કામ નથી કર્યા, ત્યારે પ્રચારમાં બિહારી સ્ટાઇલ જ ચાલે! 

ગુજરાતમાં ચૂંટણી મતદાર જાગૃતિ અભિયાનનું સ્થર આટલુ બધુ નીચે ચાલ્યુ જાય તે દુ:ખ વિષય કહી શકાય. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારે તો ! તો બોલાવી જ દીધો તે કહેવુ અતિશયોક્તિ નહીં લાગે. પ્રચારમાં ધમકી આપી શકાય(ગર્ભીત તો ખરી જ પણ ખુલ્લે આમ), પ્રચારમાં પક્ષપલટો કરાવીને જ રહેશું તેવુ કહી શકાય, પ્રચારામાં મુદ્દા વિહોણો પ્રચાર કરી શકાય, પ્રચારમાં પ્રપંચ સમરૂપ વચન નો ઉપયોગ કરી શકાય, તો મતદાર જાગૃતિ અભિયાનમાં કોઇ ગીત કે સંગીતનાં તાલે થીરકવામાં વાંધો શું?

આ પણ વાંચો – “પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા

ગાંઘી, ગુજરાત, સંસ્કારી નગરી, પ્રચાર, બિહાર, ભાજપુરી, ગીત-સંગીત, ઠુમકા, મતદાર જાગૃતિ અભિયાન કે ચૂંટણી પ્રચાર વિગેરેનો ઉલ્લેખ આટલા માટે થઇ રહ્યો છે કે ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં ચૂંટણી પ્રચારનાં એક ભાગ રુપે મતદાર જાગૃતિ અભિયાનની સભામાં પ્રચાર મુસદ્દા આધારીત નહીં ઠુમકા આધારીત થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

વિરોધ કોઇ પક્ષ, કોઇ ભાષા, કોઇ સંગીત, કોઇ નૃત્ય, કે કોઇ પણ નો નથી. વિરોધ છે, મતદાર જાગૃતિ અભિયાનનાં નામે ગુજરાતનાં મતદારો અને ગુજરાતીઓની(ભલે તે મૂળ બહારી પ્રદેશનાં હોય અને હાલ અહીં ગુજરાતમાં વસતા હોય) ગરીમાને આસ્થર સુધી નીચે લઇ જવાનો. કોઇ પણ પક્ષ કે નેતાને ગુજરાત પોતાની અસ્મિતા સાથે રમતો રમવાની અને ઠુમકાનાં સહારે પાયમાલ કરવાની છુંટ બિલકુલ નહીં આપે તે તમામ પક્ષ – નેતા અને કહેવાતા સમાજસેવકોએ સમજી લેવું હિતાવહ છે. ગુજરાત અને ગુજરાતીઓ જોઇ રહ્યા છે તે કોઇએ પણ ભૂલવુ જોઇએ નહીં.

આ પણ જુઓ – અમરેલી: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું | #bindia

વાત જાણે એમ છે કે મતદાન જાગૃતિનાં નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈવોલ્ટેજ ડ્રામા વડોદરાનાં પ્રતાપનગરમાં જોવામાં આવ્યો. બિહાર-પૂર્વાંચલ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીનાં મૂલ્યોની ચર્ચાને બદલે ભોજપુરી ગાયકો અને  નૃત્યાંગનાઓનાં ઠુમકાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાયું અને બિહારની ચૂંટણીઓમાં જોવા મળતા રંગારંગ કાર્યક્રમની ઝલક સંસ્કારી નગરી વડોદરામાં દેખાઇ.

ભોજપુરી-બિહારી ઠુમકાનાં વિડીયો વાયરલ થયા અને ખાતરી પણ છે કે ગુજરાતનાં તમામ મતદારો આ ઠુમકા પ્રચાર અને લલચામણી છટ્ટાની નોંધ લેશે. ગુજરાતનો મતદાર જાણે છે કે તેનુ સ્થર શું છે અને લોકો જે આવા પ્રચારમાં તરબદર છે તે ગુજરાતીઓનાં સ્થરને કઇ રીતે મુલવી આ ગારીમાલાજક પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતને ગુજરાત કેવી રીતે રાખવું તે ગુજરાતીઓને શિખવવાની જરૂર નથી અને આવી કોઇ કોશિષ કરવી તે મુર્ખામી કહેવાશે…. મતદારો ખરે ખર જાગવાનો સમય છે… જાગો અને જાગૃતિ લાવો. આ પ્રચાર નહીં પ્રપંચ કહેવાય.

Follow us on

#gujarat #election #chutani #bjp #congress #prachar #bihar #bhojpuri #songs #dance

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…