સુપ્રીમ કોર્ટે પોતાનાં અવલોકનમાં લોક પ્રશ્નને વાંચા આપી હોય તેવુ સટીક તારણ આપ્યું છે. SCએ કર્યું કે જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ થયા પછી દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પત્ની કહેશે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહેશે કે તેણે નોકરી છોડી દીધી છે, અથવા પત્નીની ફરિયાદ પર તેને કાઢી મૂકવામાં આવ્યો છે વિગેરે વિગેરે.
સુપ્રીમ કોર્ટમાં દરરોજ વિવિધ કેસોની સુનાવણી થાય છે. ઘણી વખત ન્યાયાધીશની ટિપ્પણીઓ અથવા કેસની ગંભીરતાને કારણે આની ચર્ચા થાય છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડા સંબંધિત આવો જ એક કેસ સામે આવ્યો, જેમાં ન્યાયાધીશે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. આ કેસમાં પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન પતિએ કહ્યું કે તે છૂટાછેડા ઇચ્છતો નથી. બાદમાં, કોર્ટે પતિને 50 લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો. જોકે, પતિનું કહેવુ તેવુ હતું કે તેની પત્નીએ આટલી મોટી ભરણપોષણ પણ માંગી નથી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પતિ પર મોટી ટિપ્પણી કરતા કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહી શરૂ થતાં જ દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે.
‘પત્નીને ૫૦ લાખ રૂપિયા ભરણપોષણ આપો’
ત્યારબાદ કોર્ટે પતિને પૂછ્યું, “શું તમે તેના પર વ્યભિચારનો આરોપ સાબિત કરી શકો છો?” પતિએ જવાબ આપ્યો, “ના.” પત્નીએ કહ્યું, “ટ્રાયલ કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા પછી અને હાઇકોર્ટે તેને માન્ય રાખ્યા પછી, મેં ફરીથી લગ્ન કર્યા.” પતિએ કહ્યું, “કૃપા કરીને એક ક્ષણ માટે મારી વાત સાંભળો.” ત્યારબાદ કોર્ટે તેને તેની પત્નીને ભરણપોષણ તરીકે 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. પતિએ ફરીથી કહ્યું, “આ તેની માંગ પણ નથી.” કોર્ટે કહ્યું, “ના, આ અમે કહી રહ્યા છીએ.” પતિએ ફરીથી કહ્યું, “શું હું એક બીજી વાત કહી શકું? અમે મધ્યસ્થી દ્વારા બાળકની કસ્ટડીના મામલા પર વિચાર કરી શકીએ છીએ.” કોર્ટે આ વાતને ફગાવી દીધી.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





