ચૂંટણી આચારસંહિતાને કારણે 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મોકૂફ, હવે 30 એપ્રિલે યોજાશે

નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ 23 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે
નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય અને જિલ્લા કક્ષાનો તારીખ 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ 2026 નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવશે.

એટલું જ નહિ, તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી લોકોની રજૂઆતો સ્વીકારવામાં આવશે.

સૌ સંબંધિતોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમના ખાસ ફરજ પરના અધિકારીશ્રી દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજનના આ ફેરફારની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    ટ્રેન્ડિંગ સમર રેસીપી 2026: ગરમીમાં ઠંડક અને ટેસ્ટનો પરફેક્ટ કોમ્બિનેશન

    ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપતી અને સ્વાદમાં લાજવાબ એવી વાનગીઓ 2026માં ખુબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પાણીથી ભરપૂર ફળો, લાઇટ ફૂડ અને “સ્વીસી” (Sweet + Spicy) ફ્લેવર્સ લોકોમાં ખુબ લોકપ્રિય…

    અમદાવાદની અમૃતા વિદ્યાલયમાં ‘સ્વેપ’ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિના શપથ લેવાયા

    આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઘાટલોડિયા સ્થિત અમૃતા…