હોર્મુઝ મુદ્દે બ્રિટનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: યુદ્ધથી દૂર રહીશું, નાકાબંધીનો વિરોધ

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરએ હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બ્રિટન કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કે નાકાબંધીમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે Strait of Hormuz આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અહીં જહાજોની મુક્ત અવરજવર જાળવવી અનિવાર્ય છે.

સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું કે હોર્મુઝમાં અવરોધ ઊભો થશે તો વૈશ્વિક ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડશે, જેનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની શક્યતા છે. “અમે કોઈપણ દબાણમાં યુદ્ધમાં સામેલ નહીં થઈએ. હોર્મુઝ ખુલ્લો રહે તે જરૂરી છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું.

પેટ્રોલ-ડીઝલ પર બ્રિટનનો રાહતનો નિર્ણય
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને બ્રિટન સરકારે દેશની અંદર પણ તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર આશરે 17 પેન્સનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ રાહત આગામી બે મહિના માટે અમલમાં રહેશે, જેથી સંભવિત ઈંધણના ભાવવધારા સામે સામાન્ય નાગરિકોને થોડી રાહત મળી શકે.

“યુદ્ધ ઉકેલ નથી”: સ્ટાર્મર
સ્ટાર્મરે કહ્યું કે યુદ્ધ કે નાકાબંધી કોઈ સમસ્યાનો ઉકેલ નથી. બ્રિટન હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્રી સુરક્ષાનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે વેપારી જહાજોની સુરક્ષા માત્ર લશ્કરી મુદ્દો નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા માટે પણ અગત્યની છે.

હોર્મુઝનું વૈશ્વિક મહત્વ
હોર્મુઝ જળમાર્ગ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. આ કારણે આ વિસ્તારમાં કોઈપણ તણાવ કે અવરોધ સમગ્ર વિશ્વના બજારોને અસર કરી શકે છે. ઈરાન અગાઉ અનેક વખત આ માર્ગ બંધ કરવાની ધમકી આપી ચૂક્યું છે, જેના કારણે આ વિસ્તાર સતત સંવેદનશીલ રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

GSRTCની ડિજિટલ ક્રાંતિ: હવે એસ.ટી. બસની સમસ્યાઓ એક ક્લિકમાં થશે હલ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન…

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.…