ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરી, શાંતિ મંત્રણામાં ભાગ લેવાની શક્યતા ઓછી

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઈરાનએ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટ ફરી બંધ કરવાની જાહેરાત કરી છે. આ પગલું તાજેતરમાં થયેલા હુમલાઓ અને તૂટી ગયેલા સીઝ-ફાયર બાદ લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. બુધવારે વહેલી સવારે ડોનાલ્ડ ટ્રમ્પએ સીઝ-ફાયર જાહેર કર્યા બાદ વૈશ્વિક સ્તરે રાહતનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઇઝરાયેલએ 24 કલાકની અંદર જ લેબેનોન પર ભારે મિસાઈલ અને હવાઈ હુમલા કરતા પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ છે.

માહિતી મુજબ ઇઝરાયેલે લેબેનોન પર માત્ર 10 મિનિટમાં 100થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 254 લોકોનાં મોત થયા છે અને 1,156થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું, જેમાં તેના એક અગ્રીમ કમાન્ડરનાં મોત થયાની માહિતી મળી રહી છે.

આ હુમલાઓને સીઝ-ફાયરનો ભંગ ગણાવતા ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે અને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી દીધો છે. સાથે જ શુક્રવારે ઇસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ભાગ ન લેવાના સંકેતો આપ્યા છે. પાકિસ્તાનમાં સ્થિત ઈરાનના રાજદૂત રજા અમીરી મોગદસે સોશિયલ મીડિયા પર મૂકેલો સંદેશ પણ હટાવી દીધો છે, જેમાં ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચી ગયું હોવાનું જણાવાયું હતું.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે શાંતિ મંત્રણાની શક્યતાઓ ઘટતી દેખાઈ રહી છે. વિશેષજ્ઞોના મતે, ઇઝરાયેલના હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી શકે છે. આ દરમિયાન હિઝબુલ્લાહએ ચેતવણી આપી છે કે ઇઝરાયેલના હુમલાઓને જવાબ આપવાનો તેમને પૂર્ણ અધિકાર છે, જેનાથી સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

    આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

    મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

    દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…