ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે હાલમાં દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને “ટીમ ઈન્ડિયા” તરીકે મળીને કામ કરવાની અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંકલિત પ્રયાસોથી દેશ આ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકશે.

સરકારની પ્રાથમિકતાઓ શું?
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ અંગે વિગત આપી. તેમાં આર્થિક અને વેપારિક સ્થિરતા જાળવવી, ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, નાગરિકોના હિતોની રક્ષા કરવી અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી સામેલ છે. તેમણે રાજ્યોને ખાસ સૂચના આપી કે જરૂરી વસ્તુઓની સપ્લાય ચેઈન સુચારુ રાખવામાં આવે અને સંગ્રહખોરી તથા નફાખોરી સામે કડક પગલાં લેવાય.

કૃષિ ક્ષેત્ર માટે ખાસ સૂચનો
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં આગોતરા આયોજન પર પણ ભાર મૂક્યો. ખાસ કરીને ખાતરોના પૂરતા જથ્થા અને તેના વિતરણ પર નજર રાખવાની જરૂરિયાત દર્શાવી. તેમણે કહ્યું કે ઝડપથી બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સંકલન જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

    આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…