ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને PNGના જથ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં હાલમાં તમામ પ્રકારના ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી. મુખ્યમંત્રીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને પુરવઠો સતત જાળવવા સૂચનાઓ આપી.
મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે. કેટલાક વિસ્તારોમાં ખોટી માહિતીના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે પેટ્રોલ પંપ અને ગેસ સિલિન્ડરની માંગમાં અચાનક વધારો નોંધાયો હતો.
તેમણે વધુમાં ખાતરી આપી કે રાજ્ય સરકાર દ્વારા સમયસર અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની કમી ઉભી થવા દેવામાં નહીં આવે. બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અંતમાં મુખ્યમંત્રીએ નાગરિકોને શાંતિ જાળવી રાખવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી. અફવાઓથી દૂર રહી સહકાર આપવો હાલની પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





