ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા વરસતા પાકોને નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ પડ્યો હતો. બગસરાના શાપર, સુડાવડ તેમજ વડિયા, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતો તૈયાર પાક કાપવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે.

બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સમી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી ગામોમાં કરા પડતા ચણા, ધાણા અને જીરાં જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ અને ડુંગળી જેવા તૈયાર પાકો પર વરસાદી છાંટા પડતાં “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ છે. મહેનતથી ઊભા કરેલા પાક પર કુદરતી આફત તૂટી પડતાં ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન માવઠું રહેવાની શક્યતા છે. 19 માર્ચે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે યલો વોર્નિંગ જાહેર કર્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…