ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, દૂતાવાસ સાથે સંકલન તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સક્રિય બની છે. વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો દૂતાવાસો સાથે સતત સંકલન કરી રહ્યા છે જેથી જરૂર પડે ત્યારે ભારતીયોને સલામત રીતે સ્વદેશ પરત લાવી શકાય.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ખાડી વિસ્તારમાં વેપારી જહાજોમાં આશરે 23 હજાર ભારતીય ખલાસીઓ સેવા આપી રહ્યા છે. તેમની સલામતી પર સરકાર સતત નજર રાખી રહી છે.

મંત્રાલયના સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વ તરફ સ્થિત અન્ય જહાજોમાં 76 વધારાના ભારતીય કર્મચારીઓ છે. આ વિસ્તારમાં કુલ 28 જહાજો હતા. જેમાંથી ‘જગ પ્રકાશ’ નામનું તેલ ટેન્કર સુરક્ષિત રીતે આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું છે. મંત્રાલયે જણાવ્યું છે કે જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને ભરતી એજન્સીઓ સાથે સંપર્કમાં રહી ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને જરૂરી હોય તો તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે.

મંત્રાલયે વધુમાં માહિતી આપી કે આ ઘટના દરમિયાન ત્રણ ખલાસીઓના મોત થયા છે અને ચાર ખલાસીઓ ઘાયલ થયા છે. જ્યારે એક ખલાસી હજુ ગુમ હોવાનું જણાવાયું છે. ઘાયલ ખલાસીઓને બહાર કાઢી તેમની તબીબી સારવાર ચાલી રહી છે.

રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પર્સિયન ગલ્ફ વિસ્તારમાં દરિયાઈ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે કારણ કે અહીં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ચર્ચા કરી હતી અને ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં લગભગ 170 ભારતીય નાગરિકોને આર્મેનિયા મારફતે જમીન માર્ગ દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે.

ગલ્ફ અફેર્સ માટેના અધિક સચિવ અસીમ આર. મહાજને જણાવ્યું કે ફસાયેલા ભારતીયોને મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો

એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ…

UN સુરક્ષા પરિષદમાં ઈરાન મુદ્દે તીવ્ર અથડામણ, રશિયા-ચીનનું ખુલ્લું સમર્થન; અમેરિકા સાથે ગરમાગરમી ચર્ચા

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને તેના સહયોગી દેશો સામે રશિયા અને ચીને ખુલ્લેઆમ સમર્થન આપતા તીવ્ર ચર્ચા સર્જાઈ હતી. બેઠક દરમિયાન અમેરિકા…