જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે

આ પ્રસંગે પૂજ્યતેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે.ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણતેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્યકૌશલેન્દ્રપ્રસાદ મહારાજ,લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યબાબુ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

​અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો

– ​UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા | ​પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે…

અમદાવાદ: સરકારી આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ વધ્યો, SVP હોસ્પિટલમાં છ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ

– SVP Hospital Ahmedabad માં OPD, IPD, સર્જરી અને આયુષ્માન યોજના હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા જાહેર આરોગ્ય સેવાઓ પ્રત્યે નાગરિકોમાં વધતો વિશ્વાસ સ્પષ્ટ થાય છે. પંકજ મકવાણા –…