જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે

આ પ્રસંગે પૂજ્યતેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે.ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણતેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્યકૌશલેન્દ્રપ્રસાદ મહારાજ,લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યબાબુ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

    2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

    કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

    ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…