જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે

આ પ્રસંગે પૂજ્યતેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે.ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણતેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્યકૌશલેન્દ્રપ્રસાદ મહારાજ,લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યબાબુ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ક્રૂડ ઓઈલ ગગડ્યું: મધ્ય પૂર્વમાં તણાવ ઘટતા ભાવમાં મોટો ઘટાડો, વૈશ્વિક બજારોમાં રાહત 2026 Crash Plunge

    ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો: મધ્ય પૂર્વમાં તણાવ હળવો પડતા બ્રેન્ટ ક્રૂડ ગગડ્યું, વૈશ્વિક બજારોમાં રાહતનો માહોલ  ક્રૂડ ઓઈલમાં મોટો ઘટાડો: બ્રેન્ટ ક્રૂડના ભાવ ગગડ્યા, ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે સારા સંકેત  મધ્ય  ક્રૂડ ઓઈલ ભાવ, Brent Crude Price, Crude Oil News Gujarati, વૈશ્વિક બજાર, મધ્ય પૂર્વ તણાવ, પેટ્રોલ ડીઝલ ભાવ વૈશ્વિક કોમોડિટી બજારમાં ફરી એકવાર મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં ભૌગોલિક તણાવ હળવો થવાના સંકેતો અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) દ્વારા નવા સૈન્ય હુમલા ટાળવાના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ સસ્તું થતાં વૈશ્વિક શેરબજાર, આયાત આધારિત અર્થતંત્રો અને ઊર્જા ક્ષેત્ર માટે આ સકારાત્મક સમાચાર માનવામાં આવી રહ્યા છે. વિશ્લેષકોના મતે, મધ્ય પૂર્વમાં યુદ્ધ અથવા સૈન્ય…

    2026 ગુજરાત : Gujarat Rain Live Update : વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર : IMD Warning

    ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જાણો સંપૂર્ણ હવામાન અપડેટ. ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત, અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને આજે પણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે નીચાણવાળા…