મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન પર આફત વધતી જાય છે. અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થતા, વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે રાત્રે ઉર્જા બચાવ અને તેલ-ગેસ પુરવઠાને સ્થિર રાખવા માટે સખત પગલાં જાહેર કર્યા છે.
ગત શુક્રવારે પેટ્રોલના ભાવમાં 20% વધારો કરાયો હતો અને દેશભરમાં તે અમલી બન્યો હતો, જેને પગલે લાંબો વાટાઘાટ હતો. હવે સરકારે બે સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખવા અને અન્ય અનેક ઉર્જા બચાવના નિર્ણય લેવાયા છે.
સરકારી અપાતકાલીન બેઠકના મુખ્ય નિર્ણય:
બેંકો સિવાય તમામ સરકારી કચેરીઓમાં ચાર દિવસ જ કામ, અર્ધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ પર.
સ્કૂલોમાં બે સપ્તાહ માટે રજા, ત્યારબાદ શિક્ષણ ઓનલાઇન ચાલુ રહેશે.
એમ્બ્યુલન્સ સિવાય સરકારી મોટરો માટે ઇંધણ ભથ્થું આગામી બે મહિના માટે 50% ઘટાડાશે.
બે મહિના સુધી સરકારી નોકરોના પગારમાં 25% કાપ, આંતરરાજ્ય અથવા વિદેશી પ્રવાસ પર પણ કાપ લાગશે; મીટીંગો ઑનલાઇન જ યોજાશે.
સેમિનાર અને સંમેલનો હોટલમાં નહીં, પરંતુ સરકારી પરિસરમાં યોજાશે.
સરકારી ડીનર કે ઇફ્તાર પાર્ટીઓ પ્રતિબંધિત.
આ પગલાંનો મુખ્ય હેતુ પેટ્રોલ, ગેસ અને અન્ય ઊર્જા સંસાધનો બચાવવાના છે અને દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સામાન્ય જનતા સુધી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






