મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારીને હવે 25 દિવસ કરી દીધો છે.
સરકારે આ નિર્ણય કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે લીધો હોવાનું જણાવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાલ ઘરેલુ ગેસ, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી.
અગાઉ ત્રણ દિવસ પહેલાં જ સરકારે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો. પરંતુ નવી વ્યવસ્થા મુજબ હવે ગ્રાહકોને બે સિલિન્ડર બુક કરવા વચ્ચે ઓછામાં ઓછા 24 દિવસનું અંતર રાખવું પડશે.
આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઇંધણ બજારમાં અનિશ્ચિતતા વધી છે. આ વચ્ચે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોગ્રામના સબસિડી વગરના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 60 નો વધારો થયો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 114.5 નો વધારો કરવામાં આવ્યો છે.
નવી કિંમતો અનુસાર હવે દિલ્હી ખાતે 14.2 કિલોગ્રામનો LPG સિલિન્ડર રૂપિયા 913માં મળશે, જે પહેલા રૂપિયા 853માં મળતો હતો. મુંબઈમાં તેની કિંમત રૂપિયા 912.50, કોલકાતામાં રૂપિયા 939 અને ચેન્નાઈમાં રૂપિયા 928.50 નક્કી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ દરમિયાન LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50 નો વધારો કરવામાં આવ્યો હતો. નવી કિંમતો 7 માર્ચથી અમલમાં આવી ગઈ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





