મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના 24 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે કુલ 383 કિલોમીટર માર્ગોના સુધારણા અને વિકાસ સાથે જોડાયેલા છે.

આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @2047”ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા “વિકસિત ગુજરાત @2047”ના રોડમૅપનો મહત્વનો ભાગ છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રાજ્યના સર્વાગી વિકાસ માટે તૈયાર કરાયેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. સુરત ઇકોનોમિક રિજિયનમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે અને આગામી સમયમાં તેને વધુ મજબૂત બનાવવા માટે રોડ કનેક્ટિવિટી સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસને મળશે વેગ
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા થવાથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના ઔદ્યોગિક હબ અને GIDC વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. જેના કારણે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે તેમજ માલસામાન અને શ્રમિકોની અવરજવર વધુ સરળ બનશે. ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઉદ્યોગોને પણ આથી મહત્વનો લાભ મળશે. આ સાથે કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વપૂર્ણ GIDC વિસ્તારોની કનેક્ટિવિટી સુધરવાથી ઔદ્યોગિક વિસ્તરણને પણ નવી ગતિ મળશે.

કૃષિ પરિવહન અને પ્રવાસન વિકાસમાં સહાય
રોડ કનેક્ટિવિટી સુધારવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સીધો લાભ મળશે. ખેત પેદાશો બજાર સુધી ઝડપી અને સરળ રીતે પહોંચાડી શકાશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. સાથે જ સિદ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવ ગુફા, અંજનીકુંડ અને સંજાણની પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળો તેમજ સાપુતારા, વિલ્સન હિલ અને મહાલના જંગલો જેવા પ્રવાસન સ્થળોએ પહોંચવું વધુ સરળ બનશે.

યુવાનો માટે રોજગારીના નવા અવસર
સુરત ઇકોનોમિક રિજિયનમાં પરંપરાગત ઉદ્યોગો ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોના વિકાસ માટે નવી તકો ઊભી થશે. જેના કારણે યુવાનો માટે મોટા પાયે રોજગારી સર્જાનાં અવસર ઉભા થવાની શક્યતા છે.

રાજ્ય સરકારનું લક્ષ્ય સુરત ઇકોનોમિક રિજિયનને “વિકસિત ગુજરાત @2047” માટેનું મહત્વપૂર્ણ ગ્રોથ એન્જિન બનાવવાનું છે. 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે આ રિજિયન રાજ્યના જી.એસ.ડી.પી.માં 35 ટકા કરતાં વધુ યોગદાન આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…