પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ: અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર સંયુક્ત હુમલો, ખામેનીના મોતનો ટ્રમ્પનો દાવો

પશ્ચિમ એશિયામાં તણાવ ગંભીર સ્તરે પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર મોટો સંયુક્ત હવાઈ હુમલો કર્યો હોવાનું અહેવાલ છે. ઇરાનના અનેક શહેરો હવાઈ હુમલાનો ભોગ બન્યા હોવાનું કહેવામાં આવે છે. જવાબી કાર્યવાહીમાં ઇરાને અનેક દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાનું જણાવાયું છે. આ વધતા સંઘર્ષને લઈને વિશ્વભરના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

ટ્રમ્પનો દાવો: ખામેની હુમલામાં માર્યા ગયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની હુમલામાં મોતને ભેટ્યા છે. ટ્રમ્પે આને ઇરાની જનતા અને વિશ્વ માટે ન્યાય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ખામેની અમેરિકાની ગુપ્તચર અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમથી બચી શક્યા નહોતાં અને આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ ઇઝરાયલ સાથે નજીકથી કામ કર્યું હતું. હાલ સુધી ઇરાન તરફથી ખામેનીના અવસાન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વિશ્વભરના દેશોની પ્રતિક્રિયા
ઘણા દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અપીલ કરી છે. ભારતે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને તણાવ ઘટાડવા અને રાજનૈતિક માર્ગ અપનાવવા અનુરોધ કર્યો છે. તુર્કીએ પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની ઓફર કરી છે.

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે દૂતાવાસની સૂચના
Embassy of India, Riyadh એ જણાવ્યું છે કે હવાઈ માર્ગ બંધ થવાથી અથવા ફ્લાઇટ રદ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકો 24 કલાક ચાલુ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. ભારતીય એરલાઇન્સે ફસાયેલા મુસાફરોને સહાય કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. મુસાફરોને પોતાની એરલાઇન દ્વારા જારી કરાયેલા સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે,…

ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે.…