રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ અંતર્ગત 661 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાના ફેઝ-2 કાર્યરત થવાથી અંદાજિત 2,91,577 નાગરિકોને માથાદીઠ 100 લીટર જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં 95 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે…

ધનવાડામાં ઘરેલું હિંસા સામે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો; ગ્રામિણ મહિલાઓને અધિકારો અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન

બાવળા તાલુકાના ધનવાડા ગામે સ્થાનિક મહિલાઓને કાયદાકીય રીતે સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ઘરેલું હિંસા પ્રતિબંધક અધિનિયમ, 2005 અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા…