રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજ્યપાલએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ, ઈનોવેશન, ડેટા સર્વિસ, ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન ચાલી રહ્યુ છે ત્યારે સ્પેસ ટેકનોલોજીની મદદથી પ્રાકૃતિક કૃષિનો વધુ વિકાસ થાય તેવા સંશોધનો પર વિશેષ ભાર આપવો જોઈએ. આ ઉપરાંત ઉપગ્રહ ડેટા દ્વારા જમીનનું વિશ્લેષણ, વેધર એનાલિસીસ, પાકની સ્થિતિનું મોનિટરીંગ શક્ય બન્યુ છે જે ખેડૂતોને વધુ સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પુરુ પાડે છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનના સંકલનથી કૃષિ ક્ષેત્ર વધુ સશક્ત બની શકે છે.

યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપતા રાજ્યપાલએ જણાવ્યું કે, ભારતનો યુવા વર્ગ સંશોધન, ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ આવીને વિકસિત ભારત @ 2047ના વિઝનમાં સહભાગી થઈ શકે છે. આ પ્રસંગે રાજ્યપાલનાં હસ્તે અમદાવાદ ઈસરો, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રવેશ દ્વારાનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ દેશની સુરક્ષા માટેના ઓપરેશનમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અસરકારક ઉપયોગની મહત્તા વિશે જણાવ્યું હતુ. તેમજ અમદાવાદ કેન્દ્રની વિવિધ નવીન પહેલો, સંશોધનો અને ભવિષ્યલક્ષી આયોજનોનો ચિતાર રજૂ કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રાજ્યપાલશ્રીએ ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો તથા વિવિધ પ્રયોગશાળાઓ, સંશોધન એકમો અને ટેક્નોલોજી વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે જે.બી.એમ ગ્રુપના અધ્યક્ષ એસ.કે. આર્ય તથા ચિરિપાલ ગ્રુપના પ્રમોટર જ્યોતિપ્રસાદ ચિરીપાલ સહિત વૈજ્ઞાનિકો, અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

ઈરાનનું મોટું એલાન: અમેરિકી સૈનિકને પકડવા કે મારવા પર 30 હજાર ડૉલરનું ઈનામ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે ઈરાને વધુ એક આક્રમક જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાનના આર્મી ચીફ કમાન્ડર અમીર હાતમીએ જાહેરાત કરી છે કે જે વ્યક્તિ કોઈ અમેરિકી સૈનિકને મારી નાખશે અથવા જીવતો પકડીને ઈરાની સેનાને સોંપશે, તેને 30,000 અમેરિકી ડૉલર એટલે કે અંદાજે 28 લાખ રૂપિયા જેટલું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાતથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ તંગ બનેલી સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેહરાનમાં કમાન્ડર અમીર હાતમીની જાહેરાત અહેવાલો અનુસાર ઈરાની આર્મી ચીફ અમીર હાતમીએ રવિવાર, 16 ઓગસ્ટે તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકી સૈન્યના કોઈ “આક્રમણકારી” જવાનને પકડનાર અથવા ઠાર કરનાર વ્યક્તિને ઈરાની સેનાની તરફથી નાણાકીય ઈનામ…

પાકિસ્તાનમાં ડિજિટલ પેમેન્ટ વધ્યું, છતાં રોકડનો જોરદાર વધારો: અર્થતંત્ર સામે નવો પડકાર

પાકિસ્તાનમાં કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધવાના સરકારી પ્રયાસોને છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર સફળતા મળી છે. મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ, QR કોડ અને ઓનલાઈન પેમેન્ટના ઉપયોગમાં મોટો વધારો થયો છે. જોકે, આ ડિજિટલ ક્રાંતિ વચ્ચે દેશની અર્થવ્યવસ્થામાં રોકડનો ઉપયોગ ઘટવાને બદલે હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના આંકડા દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે, પરંતુ લોકો અને વ્યવસાયો માટે રોકડનું મહત્વ હજુ યથાવત છે. ડિજિટલ પેમેન્ટમાં મોટો ઉછાળો પાકિસ્તાન સરકારે જૂન 2025થી ‘Cashless Pakistan’ પહેલને વેગ આપ્યો છે. તેનો હેતુ લોકોને રોકડની જગ્યાએ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન દેશમાં કુલ 11.9 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ દરમિયાન ડિજિટલ પેમેન્ટ…