માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, જાણો શું છે મામલો

બગદાણાના બહુચર્ચિત નવનતી બાલધિયા કેસમાં જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ SIT દ્વારા જયરાજ આહીર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે.

આજે SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. SITએ જયરાજ આહીરની સાડા ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછમાં જયરાજનું નામ વારંવાર આવ્યું હતું. આ સાથે જ તપાસમાં જયરાજે કેટલાક આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી અને હુમલા વિશે માહિતી મેળવી હતી.હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને આધારે SITએ તેમને ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો
24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માયાભાઇ આહિરે બગદાણા ટ્રસ્ટ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે સંબોધ્યા હતા. જેને લઈને નવનીત બાલધિયાએ માયાભાઇ આહીરને ફોન કર્યો હતો. ત્યાર બાદ માયાભાઇ આહિરે ટ્રસ્ટના ટ્રસ્ટી મામલે જે નામ આપ્યું તેને લઈ વિડીયો બનાવ્યો હતો. ત્યાર બાદ નવનીત બાલધિયા પર હુમલો થયો હતો. જેમાં નવનીત બાલધિયાએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. આ મામલે કોળી સમાજના આગેવાનો અને હીરા સોલંકી સહિત નેતાઓ નવનીત બાલધિયાના સપોર્ટમાં આવ્યા હતા. ત્યાર બાદ SITની રચના કરવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદનો ઐતિહાસિક વિજય : India Officially Awarded Hosting Rights for CWG 2030

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સોંપાઈ. ધ્વજ અને બેટન હસ્તાંતરણ સાથે ગુજરાત અને ભારતે વૈશ્વિક રમતગમતના નવા યુગમાં પ્રવેશ કર્યો. અમદાવાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ ભારતના રમતગમતના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભવ્ય સમાપન સમારોહમાં સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન અમદાવાદને સોંપવામાં આવ્યા, જેના સાથે જ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની ઐતિહાસિક સફરનો પ્રારંભ થયો છે. આ ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની બાબત છે. વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં થયેલા આ સમારોહે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. ગ્લાસગોથી અમદાવાદ સુધીની ઐતિહાસિક બેટન યાત્રા કોમનવેલ્થ ગેમ્સની પરંપરા…

ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…