કોલકાતામાં જ્યાં EDની રેડ થઈ ત્યાં મમતા બેનર્જી પહોંચ્યા, નારાજગી વ્યક્ત કરતાં કહ્યું – TMCના દસ્તાવેજો ઉઠાવી ગયા

કોલકાતા:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહત્વના દસ્તાવેજો અને ડેટા શીટ્સ કબ્જામાં લેવામાં આવ્યા છે.

મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાના ઇરાદાથી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જો હું પણ ભાજપના પાર્ટી ઓફિસમાં રેડ પાડું તો શું થશે?”

મુખ્યમંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં SIR પ્રક્રિયા મારફતે મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીને નુકસાન પહોંચાડવાની કોશિશ છે.

ઉલ્લેખનીય છે કે ફર્જી સરકારી નોકરી કૌભાંડ મામલે EDની ટીમે કોલકાતાના 15 સ્થળોએ રેડ કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જી ખુદ IPACના સેક્ટર-5 સ્થિત ઓફિસે પહોંચ્યા હતા.

પાર્ટી ઓફિસમાં પહોંચ્યા બાદ મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ પાર્ટીના હાર્ડ ડિસ્ક, ઉમેદવારોની યાદી, પાર્ટીની રણનીતિ અને આયોજન કેવી રીતે લઈ શકાય? શું આ બધું EDની ફરજમાં આવે છે? તેમણે આરોપ લગાવ્યો કે તપાસના નામે પાર્ટી સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

મમતા બેનર્જીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને કેન્દ્ર–રાજ્ય વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…