ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIA કસ્ટડીમાં: ખાલિસ્તાની નેટવર્ક અને ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે થશે સખત પૂછપરછ

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને દેશના સૌથી વોન્ટેડ ગેંગસ્ટરોમાંના એક અનમોલ બિશ્નોઈને યુએસમાંથી પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવામાં આવ્યા બાદ, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટએ તેને 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. અનમોલ બિશ્નોઈ 2022 થી ફરાર હતો અને તેના પર ₹10 લાખનું ઈનામ જાહેર હતું.

NIA કઈ બાબતોમાં કરશે કડક પૂછપરછ?
NIAના ખાસ સરકારી વકીલ રાહુલ ત્યાગીના જણાવ્યા મુજબ, અનમોલ બિશ્નોઈને ગેંગસ્ટર-આતંકવાદી સિન્ડિકેટના હિસ્સા તરીકે નીચેના મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે:
– લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) વચ્ચેના કનેક્શન
– ખાલિસ્તાની ચળવળને ફરી સક્રિય કરવાનો કાવતરું
– વિદેશમાંથી ગેંગનું સંકલન અને ઓપરેશન
– ગેંગના ફંડિંગના સ્ત્રોતો
– ગેંગના અન્ય સાગરિતોની ઓળખ અને તેમની હાલની સ્થિતી
– ભારતમાં થયેલી મુખ્ય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની ભૂમિકા

કોર્ટનો નિર્ણય
NIAએ 15 દિવસની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે 11 દિવસની કસ્ટડી મંજૂર કરી. કોર્ટએ NIAને અનમોલની સુરક્ષા અને તબીબી તપાસ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે અનમોલ બિશ્નોઈને 29 નવેમ્બરે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કયા-કયા કેસોમાં નામ?
અનમોલ બિશ્નોઈ પર અનેક ગંભીર કેસ છે, જેમાં મુખ્યત્વે:
– NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું
– પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવણી
– એપ્રિલ 2024 ની ટાર્ગેટ કિલિંગ
– સલમાન ખાનના ઘરે ગોળીબાર કેસ
-કુલ 18 થી વધુ ગુનાહિત કેસ

ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાણ?
NIAનો દાવો છે કે અનમોલ બિશ્નોઈનો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને અન્ય ખાલિસ્તાની આતંકી જૂથો સાથે સીધો સંપર્ક હતો અને તે વિદેશથી સિન્ડિકેટને સંચાલિત કરતો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

‘વારંવાર રજૂઆત છતાં કોઈ મારી વાત નહોતું સાંભળતું’, હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા પાછળના કારણો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હરભજન સિંહે દાવો કર્યો છે કે AAPમાં રહીને તેમણે પંજાબના રમતગમત ક્ષેત્ર માટે અનેક સૂચનો અને રજૂઆતો કરી હતી, પરંતુ તેમના વિચારો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ રાજકારણ કરતાં રમતગમતના વિકાસ માટે કામ કરવાની આશા સાથે AAPમાં જોડાયા હતા. હરભજન સિંહે એપ્રિલ 2026માં AAP છોડીને BJPનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ રાઘવ ચઢ્ઢા સહિત AAPના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે BJPમાં જોડાયા હતા. તેમના રાજકીય પક્ષપલટા બાદ પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હરભજન સિંહ રમતગમતના વિકાસ માટે રાજકારણમાં આવ્યા હતા હરભજન સિંહના જણાવ્યા પ્રમાણે,…

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…