એશિયા કપ વિજેતા ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી, ACC ચેરમેન મોહસીન નકવી સાથે વિવાદ વકર્યો

એશિયા કપ 2025 જીત્યા પછી પણ ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી. આ મુદ્દો હવે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવી વચ્ચે ગંભીર વિવાદનો વિષય બની ગયો છે.

BCCI ની ચેતવણી પણ બેફલ
બીસીસીઆઈ (BCCI) દ્વારા અનેકવાર ચેતવણી આપ્યા છતાં મોહસીન નકવીએ ટ્રોફી ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. તેમણે આ બાબત પર પોતાનું મજબૂત વલણ દર્શાવતા જણાવ્યું કે,”ટ્રોફી ACCના દુબઈ સ્થિત મુખ્યાલયમાં ઉપલબ્ધ છે. BCCIના અધિકારીઓ અથવા તેમનો પ્રતિનિધિ ત્યાં આવીને લેઈ શકે છે.”

બીસીસીઆઈનો ઇનકાર અને ICC મીટિંગની તૈયારી
BCCIના જણાવ્યા અનુસાર, નકવીનો આ અભિગમ અવિચારસીલ અને રાજકીય છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમને દુબઈ મોકલવી યોગ્ય નથી અને આ મુદ્દો હવે આગામી ICC મીટિંગમાં ઉઠાવવામાં આવશે. BCCIનો આ નિર્ણય એશિયા કપના આયોજક દેશની જવાબદારી સામે સવાલ ઊભા કરે છે.

અન્ય દેશો પણ BCCIના સપક્ષમાં
અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડોએ BCCIના વલણને ખુલ્લો ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ટ્રોફી વિજેતા ટીમ સુધી પહોંચાડવી એ આયોજક બોર્ડની નૈતિક અને વ્યવસ્થાપન જ જવાબદારી છે.

અગાઉની વિવાદાસ્પદ ઘટના
મોહસીન નકવીએ BCCIના પત્રનો જવાબ આપતાં એ પણ જણાવ્યું કે, “એવોર્ડ સમારોહ પહેલાં ભારતીય ટીમે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મારી તરફથી ટ્રોફી સ્વીકારશે નહીં, જેના કારણે વિલંબ થયો.” તેમ છતાં, ટ્રોફી ભારતને ના આપવામાં આવવી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    વડાપ્રધાન મોદીના વિઝનને આગળ વધારતું ‘Amul AI’, પશુપાલનમાં ટેકનોલોજીનો સમાવેશ

    ભારતના ડેરી ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ શરૂ થઈ છે. અમૂલના AI સહાયક, “સરલાબેન”, ડેરી ખેડૂતો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યા છે. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ પ્રધાનમંત્રી…

    સામાજિક મૂલ્યો VS વ્યક્તિગત સ્વતંત્રતા..! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

    ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં ઐતિહાસિક સુધારા લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાતની જાહેરાત પ્રેમ સામે નહીં, છેતરપિંડી સામે ઝીરો ટોલરન્સ : સરકાર લગ્ન નોંધણીમાં પારદર્શિતા લાવવા સરકારનું નવું પગલું દીકરી…