યુદ્ધવિરામ બાદ IPL માટે મેદાન મોકળુ, BCCI જાહેર કરી શકે છે નવી તારીખો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં યુદ્ધવિરામ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પછી આ વાતની પુષ્ટિ થઈ. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી શરૂ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, શુક્રવારે IPL એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટુર્નામેન્ટ ફરી ક્યારે શરૂ થશે તે અંગે નિર્ણય લઈ શકાયો નથી. પરંતુ હવે તાજેતરની પરિસ્થિતિ પછી, એવું માનવામાં આવે છે કે BCCI ટૂંક સમયમાં આ અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરી શકે છે.

IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત
IPL 2025 માં કુલ 57 મેચ પૂર્ણ થઈ હતી. 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે 58મી મેચ રમાઈ રહી હતી, પરંતુ તેને માત્ર 10.1 ઓવર પછી રોકી દેવામાં આવી હતી. આ મેચ ફરી રમાશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. 8 મેના રોજ જ્યારે મેચ બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યએ 34 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા. પ્રભસિમરન સિંહ 28 બોલમાં 50 રન અને શ્રેયસ ઐયર (0) અણનમ હતો.

હવે લીગ સ્ટેજમાં ફક્ત 12 મેચ બાકી છે, ત્યારબાદ 4 પ્લેઓફ મેચ રમાશે. અગાઉના શેડ્યૂલ મુજબ, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર હૈદરાબાદમાં યોજાવાના હતા, જ્યારે ક્વોલિફાયર 2 અને ફાઇનલ કોલકાતામાં યોજાવાના હતા.

IPL પર આ પહેલા પણ આવી ચૂક્યું છે સંકટ
અગાઉ 2009 માં પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સુરક્ષા કારણોસર IPL દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. જ્યારે, 2020 માં, એપ્રિલ-મે મહિનામાં કોરોના રોગચાળાને કારણે, IPL સપ્ટેમ્બરમાં UAE માં યોજાઈ હતી. આગામી વર્ષે (2021), આ ટુર્નામેન્ટ ભારતમાં બાયો બબલમાં યોજાઈ હતી, પરંતુ ખેલાડીઓ કોરોના ચેપનો ભોગ બન્યા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ પાછળથી સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ.

IPL 2024 નું શેડ્યૂલ બે ભાગમાં આવ્યું કારણ કે લોકસભાની ચૂંટણીઓ પણ તે જ સમયે યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શેડ્યૂલ કરવામાં આવ્યા અને રમાયા. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ન હતી.

22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના એક પખવાડિયા પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જમ્મુમાં હવાઈ હુમલાના એલાર્મ અને વિસ્ફોટ જેવા અવાજોના અહેવાલો વચ્ચે, ગુરુવારે ભારતના અનેક જિલ્લાઓમાં, જેમાં પંજાબના પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનો સમાવેશ થાય છે, બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. અગાઉના દિવસે, લાહોર અને રાવલપિંડી સહિત અન્ય શહેરોમાં ભારતીય ડ્રોન હુમલાઓ બાદ પાકિસ્તાન સુપર લીગ (PSL) ને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ખસેડવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

Historic Milestone for Gujarat Sports : અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી Harsh Sanghavi Glasgow CWG Flag Handover

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓને સત્તાવાર ગતિ મળી. ગ્લાસગોથી પરત ફરેલા મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધિકૃત ફ્લેગ સુપરત કર્યો. જાણો સમગ્ર આયોજન, વિકાસ યોજનાઓ અને ગુજરાત માટેનું મહત્વ. અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી: કોમનવેલ્થ ગેમ્સના ફ્લેગ સાથે ગુજરાતે શરૂ કરી ઐતિહાસિક તૈયારીઓ ગુજરાત માટે રમતગમતના ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ નોંધાઈ છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) માટે અમદાવાદની યજમાનીને લઈને તૈયારીઓ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ બાદ ગુજરાત સરકારને સોંપવામાં આવેલો અધિકૃત કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ રાજ્યમાં પહોંચ્યો છે. ગ્લાસગોથી પરત ફરેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફ્લેગ સુપરત કર્યો, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહી. આ ફ્લેગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *