આંધ્ર પ્રદેશ: ભૂતપૂર્વ નાણામંત્રીનું મોટું નિવેદન: “ટીડીપી સરકારની NSD નીતિ રાજ્ય માટે ખતરનાક”

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બુગ્ગના રાજેન્દ્રનાથ રેડ્ડીએ રાજ્યની સરકારે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) નીતિ સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નીતિને રાજ્યના આર્થિક ભવિષ્ય માટે “ખતરનાક” ગણાવી છે.

વિધાનસભામાં નિવેદન આપતા રાજેન્દ્રનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે ચંદ્રબાબુ નાયડુની નેતૃત્વવાળી TDP સરકારે જે રીતે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરો (NCDs) મારફતે નાણાં ભેગાં કરવા માટે ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમની ઍક્સેસ આપવા પગલાં ભર્યા છે, તે રાજ્યના કોન્સોલિડેટેડ ફંડ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

તેમણે જણાવ્યું કે, “જો ડાયરેક્ટ ડેબિટ મિકેનિઝમને મંજૂરી આપવામાં આવે છે, તો બોન્ડના કસ્ટોડિયનોને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયામાં રહેલા રાજ્યના નાણાંમાંથી સીધું ચુકવણી કરવાનો અધિકાર મળી જશે. આ નિર્ણય રાજ્યની નાણાકીય સલામતી માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.”

YSRCP તરફથી આ મુદ્દે સરકાર સામે પ્રતિકાર નોંધાવતો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે આમ જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ નિર્ણય પર ફરીથી વિચાર કરે અને જરૂર પડે તો આ નીતિને પાછી ખેંચે.

Related Posts

મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…

ઈરાન-અમેરિકા તણાવ ફરી વધ્યો? હોર્મુઝ જળમાર્ગને લઈને વૈશ્વિક બજારોમાં ચિંતા

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચેની સંભવિત શાંતિ ચર્ચાઓ અંગે નવા અહેવાલો સામે આવ્યા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને દેશો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *