અમેરિકાની ભારે ટેરિફ નીતિની ચીન પર વ્યાપક અસર નહીં? નિકાસમાં જોવા મળી મજબૂતી

અમેરિકા દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ચીનના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર પડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, ચીનથી આવતા ઘણા ઉત્પાદનો પર 145 % સુધીની આયાત જકાત લાદવામાં આવી હતી, છતાં માર્ચ 2025 માં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.4 %નો તીવ્ર વધારો નોંધાયો હતો.

ચીનના સરકારી ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 5.8%નો વધારો થયો છે, જ્યારે આયાતમાં 7%નો ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં જ ચીનની કુલ આયાતમાં 4.3%નો ઘટાડો થયો છે.

અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વધ્યો
માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ $27.6 બિલિયન હતો. ફક્ત માર્ચ મહિનામાં જ, ચીનની અમેરિકામાં નિકાસમાં 4.5%નો વધારો થયો હતો, અને સંપૂર્ણ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ચીને અમેરિકા સાથે $76.6 બિલિયનનો વેપાર સરપ્લસ નોંધાવ્યો હતો.

અમેરિકાને થઈ રહ્યું છે નુકસાન ?
ચીનની વધતી નિકાસ અને વેપાર સરપ્લસને કારણે અમેરિકા ભારે ખાધ ભોગવી રહ્યું છે. આને ઘટાડવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનથી આવતા મોટાભાગના માલ પર ઊંચા ટેરિફ લાદ્યા છે. આમ છતાં, ચીનની સપ્લાય ચેઇન અને વિવિધ બજાર પહોંચને કારણે તે આ દબાણથી બચી શક્યું છે.

ચીની અધિકારીઓએ શું કહ્યું
ચીનના કસ્ટમ વહીવટીતંત્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશ “જટિલ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યો છે પરંતુ તે ઝૂકશે નહીં. તેમણે આનું કારણ ચીનની વૈવિધ્યસભર નિકાસ ક્ષમતાઓ અને મજબૂત સ્થાનિક માંગને ગણાવી.

ઇલેક્ટ્રોનિક્સ પરના ટેક્સમાં થોડી રાહત
જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આઇફોન, સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર 20% ટેરિફ લાદ્યો છે, જે અન્ય ઉત્પાદનો કરતા થોડો ઓછો છે. ચીને અન્ય ઉત્પાદનો પર પણ કર રાહતની માંગ કરી છે.

ભારતને કામચલાઉ રાહત
અમેરિકાએ હાલમાં કર વધારો 90 દિવસ માટે મુલતવી રાખ્યો છે. જેનાથી ભારત જેવા દેશોને પણ રાહત મળી છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે અને એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં કોઈ કરાર થઈ શકે છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *