IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી.

ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહ મેદાનથી દૂર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આકાશ દીપના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે તેમનું બોલિંગ આક્રમણ હાલમાં ખૂબ જ બિનઅનુભવી છે.

બુમરાહની વાપસીમાં સમય લાગશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, BCCIની મેડિકલ ટીમ બુમરાહ પ્રત્યે ખૂબ સાવધાની રાખી રહી છે કારણ કે ભારત આઈપીએલ પછી તરત જ જૂનમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ભલે પસંદગીકારો તેને યુકે પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમવાની અપેક્ષા રાખતા નથી, પણ બુમરાહ ઓછામાં ઓછી બે કે ત્રણ મેચ રમે તેવી અપેક્ષા છે. BCCIના એક સૂત્રએ માહિતી આપી હતી કે બુમરાહની ઈજા થોડી વધુ ગંભીર છે. તબીબી ટીમ ખાતરી કરવા માંગે છે કે તેમને સ્ટ્રેસ ફ્રેક્ચર ન થાય. બુમરાહ પોતે પણ સાવચેતી રાખી રહ્યો છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલિંગ કરી રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ વાપસી કરવામાં વધુ સમય લાગી શકે છે. હજુ સુધી કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. તે એપ્રિલના મધ્ય સુધીમાં કમબેક કરી શકે છે. આકાશ દીપ પણ 10 એપ્રિલ સુધીમાં કમબેક કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025માં બુમરાહ ટીમમાં જોડાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સીઝનમાં 3માંથી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે. મુંબઈ હવે તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સામે ઘરઆંગણે રમશે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *