IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી.

ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહ મેદાનથી દૂર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આકાશ દીપના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે તેમનું બોલિંગ આક્રમણ હાલમાં ખૂબ જ બિનઅનુભવી છે.

બુમરાહની વાપસીમાં સમય લાગશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, BCCIની મેડિકલ ટીમ બુમરાહ પ્રત્યે ખૂબ સાવધાની રાખી રહી છે કારણ કે ભારત આઈપીએલ પછી તરત જ જૂનમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ભલે પસંદગીકારો તેને યુકે પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમવાની અપેક્ષા રાખતા નથી, પણ બુમરાહ ઓછામાં ઓછી બે કે ત્રણ મેચ રમે તેવી અપેક્ષા છે. BCCIના એક સૂત્રએ માહિતી આપી હતી કે બુમરાહની ઈજા થોડી વધુ ગંભીર છે. તબીબી ટીમ ખાતરી કરવા માંગે છે કે તેમને સ્ટ્રેસ ફ્રેક્ચર ન થાય. બુમરાહ પોતે પણ સાવચેતી રાખી રહ્યો છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલિંગ કરી રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ વાપસી કરવામાં વધુ સમય લાગી શકે છે. હજુ સુધી કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. તે એપ્રિલના મધ્ય સુધીમાં કમબેક કરી શકે છે. આકાશ દીપ પણ 10 એપ્રિલ સુધીમાં કમબેક કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025માં બુમરાહ ટીમમાં જોડાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સીઝનમાં 3માંથી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે. મુંબઈ હવે તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સામે ઘરઆંગણે રમશે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *