IPL 2025: જસપ્રીત બુમરાહની વાપસી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે કરશે કમબેક

IPLની સફર દિવસે ને દિવસે રોમાંચક બની રહી છે. આ દરમિયાન IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધારી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીમાં વિલંબ થઈ શકે છે. માર્ચ મહિનામાં IPL 2025માં બુમરાહ MI માટે ત્રણ મેચ ગુમાવશે તેવી અપેક્ષા હતી. હવે સમાચાર છે કે બુમરાહની વાપસીમાં થોડો વધુ સમય લાગી શકે છે. હજુ બૂમરાહને સાજા થવામાં હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સામે લાગશે. એટલે કે આ સિઝનમાં બૂમરાહ રમે તેવી શક્યતા નથી.

ફક્ત બુમરાહ જ નહીં પરંતુ આકાશ દીપની વાપસીમાં પણ સમય લાગી શકે છે. આકાશ દીપ આવતા અઠવાડિયા સુધીમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ક્રિકેટ રમી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહ મેદાનથી દૂર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આકાશ દીપના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કારણ કે તેમનું બોલિંગ આક્રમણ હાલમાં ખૂબ જ બિનઅનુભવી છે.

બુમરાહની વાપસીમાં સમય લાગશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, BCCIની મેડિકલ ટીમ બુમરાહ પ્રત્યે ખૂબ સાવધાની રાખી રહી છે કારણ કે ભારત આઈપીએલ પછી તરત જ જૂનમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ભલે પસંદગીકારો તેને યુકે પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમવાની અપેક્ષા રાખતા નથી, પણ બુમરાહ ઓછામાં ઓછી બે કે ત્રણ મેચ રમે તેવી અપેક્ષા છે. BCCIના એક સૂત્રએ માહિતી આપી હતી કે બુમરાહની ઈજા થોડી વધુ ગંભીર છે. તબીબી ટીમ ખાતરી કરવા માંગે છે કે તેમને સ્ટ્રેસ ફ્રેક્ચર ન થાય. બુમરાહ પોતે પણ સાવચેતી રાખી રહ્યો છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં બોલિંગ કરી રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ વાપસી કરવામાં વધુ સમય લાગી શકે છે. હજુ સુધી કોઈ ચોક્કસ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. તે એપ્રિલના મધ્ય સુધીમાં કમબેક કરી શકે છે. આકાશ દીપ પણ 10 એપ્રિલ સુધીમાં કમબેક કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025માં બુમરાહ ટીમમાં જોડાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સીઝનમાં 3માંથી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે. મુંબઈ હવે તેની આગામી મેચ 4 એપ્રિલે લખનૌ સામે ઘરઆંગણે રમશે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન,2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક Zero Waste

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *