કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં રવિવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. કારવાર વિસ્તારની તથેહકાલુ નદીમાં સિપીઓ એકત્ર કરવા ગયેલા એક જ પરિવારના અનેક સભ્યો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા 8 લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ 2 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
એક જ પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના સભ્યો નદીમાં સિપીઓ એકત્ર કરવા ગયા હતા. દરમિયાન અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું અને પ્રવાહ તેજ બનતા લોકો તણાઈ ગયા હતા. મૃતકોમાં 7 મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
બચાવ કામગીરી ચાલુ
ઘટના બાદ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો તરત જ સ્થળ પર પહોંચી હતી. હાલ લાપતા 2 લોકોની શોધ માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નદીના આસપાસના વિસ્તારોમાં સતત તપાસ કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી હજુ ચાલુ છે.
રાજ્ય સરકારની સહાયની જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકના પરિવારને ₹5 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ લાપતા લોકોને શોધવા માટે તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) હેઠળ:
– મૃતકોના પરિવારને ₹2 લાખની સહાય
– ઇજાગ્રસ્તોને ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર વરસાદી મોસમ દરમિયાન નદી અને જળાશયોની નજીક સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





