સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત

*સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત*

*શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે એવોર્ડ એનાયત કરાયો*
___________
અમદાવાદ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ આઈ.ટી.આઈ ગોતા (રાણીપ)ને એનાયત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2022-23 થી વર્ષ 2025-26 દરમ્યાન દર વર્ષે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યની પ્રથમ ત્રણ આઈ.ટી.આઈ. સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજ્યની કુલ 12 આઈ.ટી.આઈ.ને પ્રમાણપત્રો એનાયત કરી બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી લોચન શહેરા, નિયામક રોજગાર અને તાલીમ શ્રી નિતીન સાંગવાન, નિયામક કૌશલ્ય વિકાસ શ્રી કે. જે. રાઠોડ તેમજ વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    RE-NEET 2026 પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ, દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર

    દેશભરમાં આજે RE-NEET (NEET-UG) 2026 પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી આ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા…

    રામ મંદિર દાન કેસમાં SITનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી યોગીને સોંપાયો, તપાસ વધુ તેજ

    અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાન અને ફંડના ઉપયોગમાં કથિત ગેરરીતિના મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો છે. હવે…