અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

આગામી તહેવારોને ધ્યાને લઈને અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજથી આ ટ્રેન માટેનું બુકિંગ શરુ થઈ ગયું છે.

-> આજથી બુકિંગ થયુ શરૂ :- ટ્રેન નંબર 09411 માટે બુકિંગ આજથી એટલે કે, 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

-> ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઉપડશે? :- 01-ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 8.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 1.00 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.

02-ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચ થી 29 જૂન 2025 સુધી દર રવિવારે ગ્વાલિયરથી 4.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.05 વાગ્યે અમદાવાદ પહોંચશે

આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. જેથી મુસાફરો આરામથી મુસાફરી કરી શકશે.

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *