દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે.

સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મંદિર પરિસર સહિત સમગ્ર દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વ શાંતિ ભંગ ન કરી શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી.…