દુષ્કર્મ પીડિતાએ આસારામના જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી, જાણો શું છે મામલો

આસારામને છ મહિનાના જામીન મળ્યા બાદ એક દુષ્કર્મ પીડિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ કરવાની માંગ કરી છે. આસારામ 2013ના દૂષક્રમ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 29 ઓક્ટોબરના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે તેમને સમાન સજા માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધારે જામીન આપ્યા હતા. હવે, પીડિતાએ તેમના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરી છે.

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને તબીબી સારવાર માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આ જ આધાર પર જામીન આપ્યા હતા. પીડિતાની અરજીમાં આસારામને જામીન આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ન્યાયાધીશ ઈલેશ વોરા અને આરટી વાછાણીની બેન્ચે આસારામ (84) ને તેમની સારવાર માટે કામચલાઉ જામીન આપતા કહ્યું કે તેઓ તેમને રાજસ્થાન હાઈકોર્ટની જેમ જ છ મહિનાના જામીન આપી રહ્યા છે.

જાણો શું કહ્યું આસારામના વકીલે
આસારામના વકીલે રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ બેન્ચ સમક્ષ રજૂ કર્યો અને તેમની તબીબી સ્થિતિ પર વિચાર કરવા વિનંતી કરી. ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આસારામની અરજીનો વિરોધ કરતા કહ્યું કે જોધપુર જેલમાં જે સારવાર સુવિધાઓ તેમને મળી રહી નથી તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉપલબ્ધ કરાવી શકાય. 29 ઓક્ટોબરના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે આસારામને છ મહિનાના જામીન આપ્યા હતા. કોર્ટે તેમના વકીલની દલીલ પર ધ્યાન આપ્યું કે તેમના અસીલ લાંબા સમયથી બીમાર છે અને જેલમાં તેમની યોગ્ય સારવાર શક્ય નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…