દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”

દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. “જમ્મૂ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે,” એમ માંડવિયાએ સ્પષ્ટ કર્યું.

તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિની ભાવનાને કમજોર કરી રહ્યું છે અને વારંવાર સંધિનો દુરૂપયોગ કરીને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે તે આત્મચિંતન કરે અને આતંકવાદ તથા વિકાસ સંબંધિત ગંભીર પડકારોનું સમાધાન કરે. “પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયની સહાય પર નિર્ભર રહેવાને બદલે પોતાના લોકોના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ,” એમ તેમણે ઉમેર્યું.

આ ઘટનાએ ફરી એકવાર ભારતના પાકિસ્તાન પ્રત્યેના દૃઢ વલણને ઉજાગર કર્યું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની રાજદ્વારી સ્પષ્ટતા દર્શાવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…