Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ

રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તો મંદિરના દ્વારે આવી પહોંચ્યા હતા. મંગળા આરતીમાં આજરોજ 1 લાખ કરતા વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો.

આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

મંદિરમો ભક્તોના ધસારો :- ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના ગુંજથી આખું ડાકોર આજે કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું છે. યાત્રાધામ ડાકોર પંહોચવા રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાંથી દિવસો પહેલા પગપાળા સંઘ નીકળ્યા છે જે આજે હોળી તહેવાર પર ડાકોર પંહોચ્યાં હતાં. ડાકોરથી દૂર ત્રણ કિલોમીટર સુધી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે અને આ અવરીત પ્રવાહ આખો દિવસ આ રીતે જોવા મળશે.

આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી

ડાકોર મંદિરની સ્થાપના :- ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગુજરાત જ નહીં ભારતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. ભગવાન કૃષ્ણના પ્રખ્યાત મંદિરોમાં ડાકોરનો પણ સમાવેશ થાય છે. ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણના સ્વરૂપનું રણછોડરાયના નામથી પૂજન થાય છે. દેશભરના કૃષ્ણ મંદિરોમાં હોળી તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. હોળી તહેવાર પર ભગવા કૃષ્ણના મંદિરોમાં મંગળા આરતી, ભોગ, શયન પૂજા ઉપરાંત વિશેષ કરીને ફૂલડોલ ઉત્સવનું આયોજન થાય છે. આજે 13 માર્ચના રોજ હોળી તહેવારની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા ડાકોર તરફ ડોટ મૂકી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *