અમેરિકાએ પરત મોકલેલા ભારતીયોને લઈને નીતિન પટેલનું નિવેદન, જાણો શું બોલ્યા…..

અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોને લઈ વિવાદ થઇ રહ્યો છે. એક યુએસ નૌસેનાના વિમાનમાં ભારતીય નાગરિકો અમૃતસર પહોચ્યા હતા. જે પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોથી છે. આ લોકો યુએસમાં લાંબા સમયથી રહી રહ્યા હતા. અને અમેરિકી કાયદાનું પાલન કરતાં હતાં.

 

આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ભારતીયોને બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસણખોરો સાથે સરખાવવું યોગ્ય નથી. આ લોકો તેમની આવકને પોતાના વતનમાં મોકલતા અને ત્યાંના કાયદાઓને માનતા અને અમેરિકામાં શાંતિથી રહેતા હતાં.

 

નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, આ લોકો અમેરિકામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા નહોતા. બાંગ્લાદેશથી આવતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સરખામણી સાથે આ ભારતીયોને આ રીતે નિંદા કરવી યોગ્ય નથી. તેમણે આવનારા લોકોને સહાનુભૂતિ સાથે સ્વીકૃત કરવાની જરૂરિયાત જણાવી હતી.

 

ઉલ્લેખનિય છે કે, અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *